2. ૦૨. દુનિયામાં પાપનો પ્રારંભ
ઈશ્વરે એમના હાટુ સરજાવેલી એદન વાડીમાં આદમ અને તેની બાઈ મોજથી રહેતા હતા. ઇ બેમાંથી કોઈએ પણ લુગડા પેર્યા નહોતા, તેમ છતાંય તેઓ લાજતા નહોતા. કારણ કે જગમાં પાપ આયવુ નોતું. તેઓ ઘડીએ ઘડીએ પરમેશ્વર હારે વાડીમાં ફરતા અને વાતું કરતા.
પણ આ વાડીમાં એક લુચ્ચો એરુ હતો. એણે બાઈને કીધું કે હું પરમેશ્વરે હાચોહાચ એવું કીધુ સે, કે વાડીના હંધાય ઝાડનું ફળ તમારે ન ખાવું?.
બાઈએ જવાબ દીધો કે, “ પરમેશ્વરે એવું કીધુ સે, કે અમે હંધાય ઝાડનું ફળ ખાઈ શકીએ છીએ સિવાય કે હારું-નરહું જાણવાના ઝાડનું ફળ. “ઈશ્વરે અમને કહ્યું છે કે “જો તમે આ ફળ ખાશો અથવા અડશો તો તમે મરશો જ મરશો“
એરુએ ઇ બાઈને જવાબ દીધો કે “ આ હાવ હાચું નથ. તમે નહી જ મરશો “પરમેશ્વર જાણે સે કે તમે ખાશો ઇ જ ઘડીએ તમે પરમેશ્વરના ઘોડે હારું-નરહું જાણનારા થઈ જાશો.
બાઈએ ભાળ્યું કે ફળ ખાવા હાટુ હારુ, અને જોવામાં સુંદર સે. ઇ પણ જ્ઞાનની જાણકાર બનવા માંગતી હતી, આથી એણે એક ફળ તોડ્યું અને ખાધું. એ બીના બાદ એ બાઈએ એના ભરથારને જે એની હારે રહેતો હતો એને પણ ખાવા હાટુ દીધું. એણે પણ તે ખાધું.
ઇ જ ઘડીએ ઇ બેયની આંખો ઉઘડી ગઈ અને તેઓએ ભાળ્યું કે ઈ બેય ડીલે ઉઘાડા સે. ઇ બેઉએ પાંદડાઓને અંદરો અંદર સીવીને લુંગડા બનાવવાનો અને પોતાના ડીલને ઢાંકવાનો પ્રયત્ન કયરો.
ઇ જ વેળાએ માણહ અને તેની બાઈએ વાડીમાં હાલતા પરમેશ્વરની અવાજ હાંભળ્યો. ઇ બેઉ જણ પરમેશ્વરથી હંતાણા અને પરમેશ્વરે ઇ માણહને કીધું, “ આદમ, તું ક્યાં સે? “આદમે કહ્યું. “ વાડીમાં તારો અવાજ સાંભળ્યો, અને મારા માં ભેં પેઠો, કારણ કે હું ડીલે હતો.“માટે હું હંતાણો.
ઇ વેળાએ ઈશ્વરે કીધું “તને કોણે કયુ કે તું ઉઘાડો છે? જે ઝાડનું ફળ ખાવાની મેં તને ના કહી હતી, ઈ ફળ જ તેં ખાધું છે શું ? “માણસે કીધું, મારી હારોહાર રહેવા હારુ જે બાઈ તમે મને દીધી છે. એણે મને ફળ આપ્યું. ત્યારે પરમેશ્વરે બાઈને કીધુ, આ તેં હું કયરું? ઇ વેળાએ બાઈએ જવાબ દીધો “ એરુ એ મને છેતરી“
પરમેશ્વરે એરુને કીધું, તું શાપિત છે. તું પેટે હાલશે અને ધૂળ ખાહે. તારી અને બાઈની વચ્ચે અને તારા છૈયા અને તેના છૈયાછોરાની વચ્ચે હું વૈર બંધાવીશ. બાઈના છૈયા જ તારું માથું છુંદશે અને તું એની પાની છુંદશે.
પરમેશ્વરે ઇ બાઈને કહ્યું, કે તું દુઃખે છોરા જણશે. અને તું તારા ધણીને હેઠે રહીશ, ને તારો ધણી તારા પર ધણીપણું કરશે.
પરમેશ્વરે ઇ માણહને કહ્યું કે તેં તારી બાઈની વાત લેખામાં લઇ મારા આદેશને તોડ્યો સે એથી આ ભૂમિ શ્રાપિત થઈ સે અને એટલે તું પરસેવો પાડીને રોટલી ખાશે. તું મરશે અને તારુ ડીલ પાછું ધૂળમાં ભળી જાહે. ઇ માણહે એની બાઈનું નામ હવા એટલે “ સજીવ“ પાડ્યું કેમકે ઇ હંધાય જીવોની મા હતી. અને પરમેશ્વરે આદમ અને હવાને જનાવરના ચામડાના લુંગડા પહેરાવ્યાં.
ળાએ પરમેશ્વરે કહ્યું કે, “જુઓ આ માણસ આપણા સરીખો હારા-નરહાનો જાણકાર થ્યો સે. એમને જીવનના ઝાડનું ફળ ખાવા દેવાય નહિ, રખેને તેઓ અમર બની જાય.“એટલે પરમેશ્વરે આદમ અને હવાને એદન વાડીમાંથી બહાર તગેડી મૂક્યા. અને ઈશ્વરે ઇ ઝાડની વાડને હાચવવા હારુ વાડીમાં જવાના છીંડા ઉપર પરાક્રમી દેવદૂતોને પહેરો ભરવા મુયકા. જેથી તેઓ જીવનના ઝાડનું ફળ તોડીને ખાય હકે નહિ.
લની વાર્તાઉત્પતિ 3
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).